સુરતમાં શહીદ જવાનના પરિવારને 21 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સુરતના બિલ્ડર વિજય ભરવાડે 21 લાખ રૂપિયા શહિદના પરિવારને આપ્યા છે. શહીદ જવાનના બાળકો માટે તેમણે સહાય જાહેર કરી છે. જમ્મ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ દરમિયાન જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનના દીકરાને બિલ્ડરે 21 લાખ રૂપિયાની મદદ કરી હતી.


સુરતના બિલ્ડર વિજય ભરવાડનું હૃદય કંપી ગયું

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના સફાયા માટે દેશની સુરક્ષાબળોએ ઓપરેશન મહાદેવ શરૂ કર્યું હતું. જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ દામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહૂલ ભૂવા ફરજ દરમિયાન શહીદ થયા હતાં. ગત 20 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન તેમના પત્ની અને દીકરાની આંખમાં આંસુ જોઈને સુરતના બિલ્ડર વિજય ભરવાડનું હૃદય કંપી ગયું હતું.

સુરતથી કારનો કાફલો લઈને બિલ્ડર મદદ માટે દોડી ગયા

બિલ્ડર વિજય ભરવાડે આ શહીદ જવાનના પરિવારને આર્થિક મદદ માટે હાથ લાંબો કર્યો હતો. જવાનના દીકરાના ભવિષ્ય માટે તેમણે 21 લાખ રૂપિયાની સહાય કરી હતી. સુરતથી કારનો કાફલો લઈને બિલ્ડર મદદ માટે દોડી ગયા હતાં. બાળકના શિક્ષણ અને ભવિષ્ય માટે તેઓ તાત્કાલિક ગાડીઓના કાફલા સાથે પહોંચી ગયા હતાં. શહીદ જવાનના દીકરાના હાથમાં તેમણે થાળી ભરીને રૂપિયાની મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ દેશ માટે શહીદ થયો તેના પરિવારની જવાબદારી સમાજના આગેવાને સમજી લેવી જોઈએ.


  • Follow us on: