તાજેતરમાં સુરત શહેરના જહાંગીરપુરામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કાકરાપાર નહેરના સ્ટ્રક્ચરોના નવીનીકરણ સંબંધિત કામોની સમીક્ષા બેઠક મળી હતી.આ બેઠકમાં નહેરના 50 કિ.મીની અંતરમાં 8 કેનાલ એક્વાડકટ,3 કેનાલ સાયફન અને 24 ડ્રેનેજ સાયફન સ્ટ્રક્ચરોની પુન:નિર્માણ કાર્ય કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.આ કેનાલ કામગીરીને કારણે બંધ રાખવાનો વિવાદ વકર્યો છે. ત્યારે મંત્રી મુકેશ પટેલે ઓલપાડ ખાતે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું.
કેનાલની કેપેસિટી 2450થી વધારીને 3650 ક્યુસેક કરાઈ છે
સુરતમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતુ કે, અગાઉ 90 દિવસ નહેર બંધ રહી હતી. ખેડૂતોના કોઈ પાકને નુકસાન થયુ નથી. ખેડૂત સમાજ લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે. કેનાલની કેપેસિટી 2450થી વધારીને 3650 ક્યુસેક કરાઈ છે. જર્જરિત કેનાલને તાત્કાલિક રિપેર કરવાની જરૂર હતી. કેનાલ 90 દિવસ બંધ રહેતા ખેડૂત સમાજે વિરોધ કર્યો હતો. 2013-14માં સર,સર, કરીને લોકોના સર કાપી નાંખ્યા, સર આપણાં ત્યાંથી ધોલેરા જતુ રહ્યું. ત્યાં આજે નંબર વન એરપોર્ટ બનવા જઈ રહ્યું છે.













