આધુનિક યુગમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે. હવે શિક્ષણમાં પણ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો છે. ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં હવે AI પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. શહેરમાં ચાર હજારથી વધુ શિક્ષકોને AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.


શિક્ષકોને આજે AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી

સુરતમા ખાનગી શાળાના ચારેક હજાર જેટલા શિક્ષકોને આજે AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. સુરતમાં કેટલાક યુવાનોએ એક પ્રકારની ટેક્નોલોજી વિકસાવી છે જેનાથી શિક્ષકો સરળતાથી ભણાવી શકશે અને વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી શકશે. પ્રશ્નપત્રમાં કોઈપણ ભૂલ હોય તો આ ટેક્નોલોજીથી તાત્કાલિક ચેન્જ કરી શકાય છે. આ સિસ્ટમ દ્વારા એક પુસ્તકનો સાર માત્ર બે પેજમાં બની જાય છે.

એક એપ દ્વારા સરળ શિક્ષણ આપી શકાય

આ અંગે શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ કહ્યું હતું કે, યુવાનો દ્વારા તૈયાર કરાયેલી એક એપ દ્વારા સરળ શિક્ષણ આપી શકાય છે તે અંગે આજે ચારેક હજાર જેટલા શિક્ષકોને તેની ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ટ્રેનિંગથી શિક્ષણ સરળ બનશે અને વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળશે. આપણે AIનો ઉપયોગ કરવાનો છે પણ ભગવદ ગીતાને ભૂલવાની નથી.


  • Follow us on: