આવતીકાલે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે. બીજી બાજુ ઓપરેશન સિંદૂરને લઈને સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોના નામ બદલવાની માગ ઉઠી હતી. જેમાં સુરતના રામનગરમાં એક વિસ્તાર પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો. આ વિસ્તારનું નામ બદલીને હવે હિન્દુસ્તાન મહોલ્લો રાખવામાં આવ્યું છે. આજે આ મહોલ્લાના નામની તકતીનું અનાવરણ કરાયુ હતું.
મહોલ્લાનું નામ હિન્દુસ્તાન મહોલ્લા કરાયુ













