ગુજરાતમાં ગયા વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સરકાર દ્વારા એક ક્ષતિ રહી ગઈ હતી. વિદ્યાર્થીઓને બે વિકલ્પ A અને B આપવામાં આવ્યા હતાં. જેના કારણે દિવ્યાંગ અને સામાન્ય વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં મૂંઝવણ થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ દ્રષ્ટિહીન માટેના જવાબ લખી નાંખ્યા હતાં. પરંતુ આ વખતે આ ક્ષતિને સરકારે સુધારી લીધી છે.


દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે B વિકલ્પ આપવામાં આવશે

શિક્ષણમંત્રી પ્રફૂલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે, ગત વર્ષે દિવ્યાંગ અને સામાન્ય વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં મૂંઝવણ થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ દ્રષ્ટિહીન માટેના જવાબ લખી નાંખ્યા હતાં. પરંતુ આ વખતે આ ક્ષતિને સરકારે સુધારી લીધી છે. ધો.10 અને 12ના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે. સામાન્ય વિદ્યાર્થીઓ માટે A વિકલ્પ રહેશે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે B વિકલ્પ આપવામાં આવશે. ચિત્ર, આલેખ પ્રશ્નો સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે. જ્યારે વિકલ્પ રૂપે આવેલા પ્રશ્નો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે હશે.

ગેર સમજને ટાળવા માટે કેટલાક ફેરફાર કરાયા

શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ગત વર્ષે થયેલી ગેર સમજને ટાળવા માટે આ વખતે પ્રશ્નપત્રમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. આ ફેરફારથી કોઈપણ વિદ્યાર્થી મૂંઝવણમાં નહીં પડે.આ ગેરસમજ ટાળવા માટે જ બોર્ડે આ વર્ષે નવું પરિરૂપ જાહેર કર્યું છે. આ બાબતની પૂરતી જાણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કરાવવામાં આવશે.પરીક્ષાનો ન્યાય સંગત માહોલ રહેશે.


  • Follow us on: