આજથી એટલે કે 27 ઓગસ્ટથી ભારત પર 50 ટકા ટેરિફ લાગુ થઇ ગયો છે.50 ટકા ટેરિફને કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટો મોંઘી થશે. આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઉભુ થયું છે. રત્ન કલાકારોમાં નેગેટીવ ઈફેક્ટ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે.
બેરોજગારી ટાળવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાની જરૂર













