સુરતમાં આવતા ખાડીપુર મામલે કેન્દ્રની ટકોર બાદ તંત્ર કામે લાગ્યું હતું, ખાડીપુર વિસ્તારમાં આવેલા બિનખાતાકીય જમીન પર જે લોકો દબાણ કરીને કબજો જમાવી બેઠા છે તેવા તમામ દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. ખાડીપુર વિસ્તારમાં નડતરરૂપ થતા બાંધકામોને લઈ ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ખાડીપુરમાં દબાણમાં આવતા દરેક દુકાન કે બાંધકામોને દૂર કરવાની કામગીરી સતત ચોથા દિવસે પણ ચાલુ જ હતી.
ખાડીપુરમાંથી દૂર થશે તમામ દબાણ













