સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને પાક વીમા યોજના હેઠળ મળવાપાત્ર રકમ ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાથી ખેડૂતોને લાંબા સમયથી અટકેલા વીમાની રકમ મળશે. હાઈકોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે જે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે PKVMY અંતર્ગત વીમો મળવાપાત્ર છે તેમને જુલાઈ 2023થી બેંક વ્યાજ સાથે વીમાની સહાય ચૂકવવામાં આવે.
વળતરની માંગણી સાથે હાઈકોર્ટમાં ખેડૂતોની રજૂઆત













