ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રને વરસાદે ઘમરોળ્યું હતું. ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. થરાદ તાલુકાના ભોરોલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો અને શેડના પતરા ઉડ્યા હતાં. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
બાજરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન













