બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 13 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીઓ હજી પણ પાણીમાં ગરકાવ છે. જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાલુકા પંચાયત પાસે આવેલી ગણેશ સોસાયટીની હાલત સૌથી ગંભીર છે. આખી સોસાયટી પાણીમાં ડૂબી ગઈ હોવાથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
નીચાણવાળા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી













