ઉના તાલુકાના ભાચા ગામે આવેલ ખોડિયારની ધાર પાસે માતા પિતા સાથે સૂતેલા બાળકને દીપડાએ ફાડી ખાધો છે. બે વર્ષીય રાજવીર ભુપતભાઇ સોલંકીનું નિપજ્યું કમકમાટી ભર્યું મોત થયું છે. ભાચા ગામ પહેલા આવેલ ખોડિયાર મંદિરની સામે દેવીપૂજક સમાજની વસાહત આવેલી છે. છેલ્લા 35 વર્ષથી આ લોકો અહીં ઝૂંપડા બનાવીને વસવાટ કરે છે.


ભાચા ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો

ગત રાત્રીના 1 વાગ્યાની આસપાસ ભુપતભાઈ પોતાના ખુલ્લા ઝૂંપડામાં પરિવાર સાથે સુતા હતા. દીપડાએ મોડી રાત્રિના 1 વાગ્યા આસપાસ રાજવીર ઉપર જીવલેણ હુમલો કરી ઊંચકી ગયો હતો. દિપડાના હુમલાથી પાસે ઊંઘી રહેલા ભુપતભાઈની ઊંઘ ઉડી જતા તેમને દીપડા પાછળ દોડ લગાવી હતી. દીપડો રાજવીરને 500 મીટર દૂર પાસે આવેલી આંબાની બાગ સુધી લઈ ગયો અને ત્યારે બાદ નાસી છૂટ્યો હતો.

દીપડાને પાંજરે પુરવા કવાયત

આજુબાજુમાં રહેતા અન્ય લોકોએ આંબાવાડીમાંથી રાજવીરની ભાળ મેળવી પણ મોડું થઈ ગયું હતું. દીપડા એ 2 વર્ષીય રાજવીરને ગળાના ભાગે ઇજા કરતા મોત થયું છે. આ અંગે જશાધાર વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. દિપડાને પાંજરે પુરવા 2 જગ્યાએ પાંજરાઓ મૂકવામાં આવ્યા છે. 2 વર્ષીય રાજવીરના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

  • Follow us on: