તાજેતરમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે શરૂ થયેલી ટ્રેનને મહેસાણા અને પાલનપુર સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે જિલ્લાના ઊંઝા રેલવે સ્ટેશન પર બે નવી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. ઊંઝા વેપારની દ્રષ્ટિએ મોટુ મથક હોવાથી બે ટ્રેનાના સ્ટોપેજ મળતાં વેપારીઓને પણ ખૂબ ફાયદો થશે.


અજમેર-મૈસુર એક્સપ્રેસ ટ્રેનને ઊંઝા સ્ટોપેજ મળ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર ભારતથી દક્ષિણ ભારતને જોડતા ટ્રેન વ્યવહારનો લાભ મહેસાણા જિલ્લાના વેપારી વડા મથક ઊંઝાને બહુ ઓછો મળી છે.ત્યારે ઊંઝાને પણ ટ્રેનોનું સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએ ટ્રેન વ્યવહાર સરળતાથી મળી રહે તે માટે સાંસદ સભ્યએ પણ રેલવે વિભાગ પાસે માગ કરી હતી. આ માગ પૂરી થતાં ઊંઝાને બે મહત્વની ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે.

વધુ 2 ટ્રેનને સ્ટોપેજ મળતા વેપારી મથક ઊંઝાને ફાયદો

અજમેર થી મૈસુર એક્સપ્રેસ ટ્રેન અને લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ ટ્રેન ને સ્ટોપેજ મળ્યું છે.ઊંઝા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનોને સ્ટોપેજ મળતા લોકોએ કામગીરીને આવકારી હતી અને ઊંઝા રેલવે સ્ટેશનથી સંસદસભ્યએ લીલીઝંડી આપી રવાના કરી હતી.આમ વેપારી વડા મથક ઊંઝા ને નવી બે ટ્રેનો ને સ્ટોપેજ મળતા વેપારીઓને ખૂબ ફાયદો થશે.


  • Follow us on: