મકરપુરા જીઆઇડીસીમાં વરસાદી કાંસમાં ઉદ્યોગ એકમો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદી કાંસોમાં કંપનીઓનું પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. અગાઉ નંદેસરી જીઆઇડીસી પાસે મીની નદીમાં પણ કેટલાક ઉદ્યોગ એકમો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. કેમિકલ યુક્ત જાંબલી રંગના પાણી છોડાતા એકમો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.


ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી

ઉદ્યોગ એકમો દ્વારા વરસાદી કાંસમાં કેમિકલ વેસ્ટ પાણીનું નિકાલ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ અગાઉ પણ કરવામાં આવી હતી. જેમા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉદ્યોગ એકમોના સંચાલકોને આ પ્રકારની કામગીરી સામે વહીવટી તંત્રનું અક્કડ મૌન ક્યારે તુટશે તે એક મોટો પ્રશ્ન છે. વરસાદી ઋતુમાં વરસાદના પાણી સાથે કંપનીમાંથી છોડાઈ રહેલા કેમિકલ યુક્ત પાણીથી રહિશોમાં રોગચાળા ફાટી નિકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.

 પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહીની માગ

વરસાદી પાણીનો નિકાલ લાવવા વરસાદી કાંસ બનાવવામાં આવતા હોય છે. પરંતું કેટલાક ઉદ્યોગ એકમો દ્વારા જ્યારે આવા વરસાદી કાંસમાં કંપનીઓનું પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે ત્યારે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધી જાય છે. તેને લઈ સ્થાનિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ઉદ્યોગ એકમો વિરુદ્ધ પોતાની સમસ્યા પહોંચાડે છે. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું ન હોવાથી લોકોએ પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહીની માગ કરી છે.


  • Follow us on: