ડભોઇના ભીલાપુર ગામમાં કૃષિ સહાયના મામલે તલાટી દ્વારા દાદાગીરી કરવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, તલાટી સહાયનો દાખલો નથી આપતા.


ખેડૂતોએ કર્યો આક્ષેપ

ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, સરકારે સહાય જાહેર કરી પણ તલાટી દરેક ગામે વાવેતરનો દાખલો આપતા નથી અને તેઓ સહાય મેળવવા માટે જરૂરી દાખલો નથી મેળવી શકતા.

વેરા વસુલાત બાદ પણ પાવતી અને દાખલા ના આપ્યા હોવાનો આરોપ

તલાટી કમ મંત્રી અર્ચનાએ ખેડૂતો પાસેથી વેરા વસુલાત બાદ પણ પાવતી અને દાખલા ના આપ્યા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે.

તલાટીની બદલી કરવા સુત્રોચ્ચાર

ખેડૂતોએ આરોપ લગાવ્યો કે તલાટી જિલ્લાના આદેશ મુજબ વેરા ઉઘરાણી કરે છે. બીજી તરફ ખેડૂતોએ ભીલાપુર તલાટીની દાદાગીરી સામે આવી હતી કે વેરો ભર્યા વગર ખેડૂતોને સહાયનો દાખલો આપવામાં આવસે નહી જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે તલાટીની બદલી કરવા સુત્રોચ્ચાર કર્યા હતા 

  • Follow us on: