વડોદરાના એકતાનગરમાં રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં અગાઉ 11 વર્ષીય બાળકીનું થયું હતું મોત અને રોગચાળો વકરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, પાણી પણ દૂષિત આવે છે જેના કારણે રોગચાળો વકર્યો છે, સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, દૂષિત પાણીને લઈ અવાર-નવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા દૂષિત પાણીની સમસ્યા દૂર થતી નથી.


ફટાકડાના ધુમાડાથી બચવા તબીબોની અપીલ

રોગચાળાની આ સ્થિતિમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના ધુમાડાથી સ્વાસ્થ્ય વધુ જોખમાય નહીં તે માટે તબીબોએ નીચે મુજબની અપીલ કરી છે: ફટાકડા ફૂટતા હોય તેવા સ્થળોએ વડીલો અને બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અસ્થમાના દર્દીઓ: ફટાકડાનો ધુમાડો અસ્થમા (દમ)ના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવા દર્દીઓએ ધુમાડાથી બચવા માટે સાવચેતી રાખવી અને દવાઓ નિયમિત લેવી. વૃદ્ધોએ શક્ય હોય તો ફટાકડાના ધુમાડાથી બચવા માટે માસ્ક પહેરવો જોઈએ, કારણ કે ધુમાડો શ્વસનતંત્રને સીધું નુકસાન પહોંચાડી શકે છે. તબીબોએ લોકોને હાલની સ્થિતિમાં બેવડી ઋતુ અને પ્રદૂષણ બંનેથી બચવા માટે પૂરતી કાળજી લેવા ભારપૂર્વક જણાવ્યું છે.

સુરતમાં શરદી, ખાંસી અને તાવના દર્દી 30 ટકા વધ્યા

સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં કાર્યરત તબીબો (જનરલ પ્રેક્ટિશનર)ને ત્યાં પણ છેલ્લા એક પખવાડિયામાં શરદી, ખાસી, તાવના દર્દી ૩૦ ટકા વધ્યા છે. સામાન્યપણે ૫૦ દર્દી આવતા હોય તો હાલમાં તે વધીને 70 થી 80 થઇ ગયા છે. તેમાં શરદી, ખાસી, તાવ, માથાનો દુખાવો, શરીરમાં કમજોરીના કિસ્સા વધ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી વાયરલના ૯૦ ટકા કેસ આવી રહ્યા છે.

  • Follow us on: