વડોદરા જિલ્લાના વાઘોડિયામાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની દુઃખદ ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા જે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેમણે વાઘોડિયાની રણછોડધામ સોસાયટીમાં આવેલા પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી













