ગંભીરા બ્રિજ અકસ્માત બાદ વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. નેશનલ હાઈવે 56 પરના 4 બ્રિજ અવરજવર માટે બંધ કરાયા છે. વલસાડ શહેરથી લાલપોરને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. વાપી નજીક આવેલ દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો, માન અને તાન નદીનો બ્રિજ અને પાર નદીનો બ્રિજ સ્ટેબિલિટી ચેક થાય ત્યાં સુધી બંધ કરાયો છે.


જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી

વલસાડ જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, ગંભીરા બ્રિજ અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે 56 પર ના 4 બ્રિજ વહીવટી તંત્રએ અવરજવર માટે બંધ કર્યા છે. જેમાં વલસાડ શહેરથી લીલાપોરને જોડતો બ્રિજ બંધ કરાયો છે. વાપી નજીક આવેલ દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો, માન અને તાન નદીનો બ્રિજ અને પાર નદીનો બ્રિજ સ્ટેબિલિટી ચેક થાય ત્યાં સુધી બંધ કરાયો છે.

ગંભીરા બ્રિજ અકસ્માત બાદ વલસાડ જિલ્લા તંત્ર એલર્ટ

આ ઉપરાંત નાનાપોંઢા નજીક વડખંભા પાર નદીનો બ્રિજ સ્ટેબિલિટિ ચેક ના થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. સંદેશ ન્યુઝ એ NH 56 ના બે મોટા દેગામ ખાડી અને ધરમપુર નજીક કરંજવેરીના બ્રિજનું રિયાલીટી ચેક કર્યું હતું. તંત્ર એ એજ બ્રિજ બંધ કરવા પડ્યા છે. NH 56 પરના 4 બ્રિજ અવરજવર માટે બંધ કરાયા છે. ગંભીરા બ્રિજ અકસ્માત બાદ વલસાડ જિલ્લા તંત્ર એલર્ટ થયું છે.


  • Follow us on: