વલસાડ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્તિતિને ધ્યાનમાં રાખી રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.જે અંગે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ જાહેરનામું બહાર પાડ્યું છે.


સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ જાહેર કરેલા જાહેરનામામાં જિલ્લામાં તા.02 ડિસેમ્બર 2025 સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું છે.આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી.

હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ Khedaમાં BLO પર ચૂંટણી અધિકારીના ઉદ્ધતાઈ પૂર્વકના વર્તન સામે કલેક્ટરને આવેદન


  • Follow us on: