વલસાડમાં રાજ્ય સરકારનો ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. આજે આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસની નિયમ સહકાર કરતા પાંચ ગ્રુપ ડિસ્કશનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સહભાગી થયા હતા.


શિબિરમાં વિકસિત ભારત 2047 પર મંથન

વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ પોષણ અને જાહેર આરોગ્ય ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ જાહેર સલામતી અને સેવાક્ષેત્ર માં ગુજરાત ને 2047 સુધીમાં સંગીન બનાવીને વિકસિત ભારત 2047 માટે અગ્રેસર રાખવાનું સામુહિક મંથન કરાયું. વિકસિત ગુજરાત માટે વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન સર્વાંગોની પુનઃરચના તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે નું પ્લેટફોર્મ પુરૂ પાડવા જેવા વિષયો પરના ચર્ચા સત્ર માં કરવામાં આવી હતી

માનવ સંસાધન વિકાસની દિશામાં ચિંતન

75 વર્ષ 2035 માં ઉજવાય ત્યાં સુધીના દાયકામાં રાજ્યની માનવ સંસાધન વિકાસ વર્ક ફોર્સનું કેપેસિટી બિલ્ડીંગ માટેના પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યલક્ષી ટેકનોલોજીથી સજ્જ માનવબળ માટેની દિશામાં ચિંતન કર્યું હતું. આ શિબિરમાં જાહેર સલામતી પબ્લિક સેફટીના ચર્ચા સત્રમાં પુલો સરકારી ઇમારતો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાગરિક સુરક્ષા અને સલામતી માટે કાર્યક્ષમને લઈને ચર્ચા કરાઈ હતી.

ચિંતન શિબિરમાં વિવિધ વિષયો પર થઈ ચર્ચા

આ ઉપરાંત ચિંતન શિબિરમાં વિશ્વસનીય સ્ટ્રક્ચર પાણી પુરવઠા માળખું ગટર વ્યવસ્થાનું પુનર્વસન અને મજબૂતી કરંટ ટ્રાફિક મેનેજમેન્ટ ફાયર સેફટી અને ઇમર્જન્સી સર્વિસીસ જેવા લોકોને વ્યાપક રીતે સ્પર્શતા વિષયોમાં ટેકનોલોજી ઇન્ટીગ્રેશન ટ્રાન્સફરન્સી કલેક્ટિવ રિસ્પોન્સબિલિટીઝ જાગૃતિ અભિયાન જેવા આયોજનો માટેની હાલની સ્થિતિ અને ભવિષ્યલક્ષી આયોજન અંગે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં 5 થી 9 ડિસેમ્બર સુધી ‘સ્વદેશોત્સવ 2025’ યોજાશે, સંતોની ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે એક્સ્પોની તૈયારીઓનો પ્રારંભ

  • Follow us on: