વિસાવદરમાં ભાજપ ઉમેદવારનો પરાજય થયો છે. વિસાવદર બેઠક પર ભાજપની હાર બાદ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે જનતાનો જનાદેશ અમે સ્વીકાર્યે છે. સરકારે કરેલી કામગીરીનો જશ લેવામાં કાર્યકરો ઊણા ઉતર્યા છે.છાતી કાઢીને જનતાની વચ્ચે કાર્યકરો જઈ નથી શક્યા. ભેંસાણમાં મત ઓછા મળ્યા તને લઈને પણ જનાદેશ સ્વીકાર્યો છે. ભેંસાણના વિકાસ માટે અમે હંમેશા તૈયાર છીએ. આમ આદમી પાર્ટીની રેલીમાં જવાહર ચાવડાના નારા લગાવ્યા બાબતે લઈને નિવેદન આપ્યું કે જવાહર ચાવડા ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે. તેમણે ચૂંટણીના પરિણામોને જરૂર પ્રભાવિત કર્યા હોય શકે છે.
વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત













