• મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી
  • અભયારણ્યોનું સંચાલન હંગામી ધોરણે થયું
  • 24 કલાક સંચાર માટે ઉપકરણો પૂરતા પ્રમાણમાં ન હતા

ગુજરાતના વન્યજીવ અભયારણ્યો સંદર્ભે કેગનો અહેવાલ સામે આવ્યો છે. જેમાં રાજ્ય પાસે રાજ્યની ચોક્કસ વન નીતી ન હોવાની ફરિયાદો સામે આવી છે. જેમાં રાષ્ટ્રીય વન્યજીવ માટે યોગ્ય યોજના ન હોવાની પણ ફરિયાદ સામે આવી છે.

એટલું જ નહીં રાષ્ટ્રીય વન્યજીવન કાર્ય યોજનાના અમલિકરણ માટે કોઈ પદ્ધતિ નથી તેવી પણ વિગતો કેગના અહેવાલમાં રજુ કરવામાં આવી છે. તેમાં રીંછ સંરક્ષણ અને કલ્યાણ કાર્ય યોજના હેઠળ કામગીરી બાકી છે. તો  મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી તેમ પણ સામે આવ્યું છે. વન અધિકાર અધિનિયમ નાં 14 વર્ષ પછી પણ મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી

આ ઉપરાંત વ્યવસ્થાપન યોજનાઓ તૈયાર કરવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે. 24 કલાક સંચાર માટે ઉપકરણો પૂરતા પ્રમાણમાં ન હતા. તેમજ મંજૂરી બાકી હોવા છતાં રસ્તાઓ પહોળા કરવાનું કામ પૂર્ણ કરાયું હોવાની વિગતો સામે આવી છે. ગેરકાયદેસર વૃક્ષ છેદનના 18, 469 કિસ્સા બન્યા છે.

વર્ષ 2016 થી 2021 દરમિયાન. વન અને પર્યાવરણ માટેની કુલ અંદાજપત્રીય જોગવાઈ રાજ્ય સરકારની કુલ અંદાજપત્રીય રકમ 1 ટકા કરતા પણ ઓછી હતી. જેના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. મંજૂરી બાકી હોવા છતાં રસ્તાઓ પહોળા કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.


  • Follow us on: