ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસે સુરત ખાતેથી એક નિવેદન આપ્યું હતું. તેમણે નિવેદનમાં બંધારણ બનાવવા વાળાને મુર્ખ કહ્યાં હતાં અને સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે.આ સંવિધાન ધર્મને આધારે બનવું જોઈએ એવો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. વિવાદ વધતા કથાકારે માફી માગી હતી. હવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પાવી જેતપુરના વકીલ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે.
કથાકારના નિવેદન બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો













