પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી તમામ મિલ્કત ધારણ કરનાર તથા ભોગવટો કરનાર તમામ ઇસમોને જણાવવાનું કે, સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલ્કતોના મિલ્કતવેરા અન્વયેના આકારણી પત્રકો (ASSESMENT BOOK) તૈયાર કરવામાં આવેલા છે. આ પત્રકો નગરપાલિકા કચેરીએ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના સમય દરમિયાન દરેકને જોવા તથા તપાસવાની છુટ છે.


નગરપાલિકાએ જાણકારી આપી

આથી સંબધકર્તા ઇસમોને સદરહું વાર્ષિક આકારણી સામે કોઇ વાંધો હોય તો આવા ઇસમોએ તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ સુધી કાર્યલયના સમય દરમિયાન વાંધાઓ રજુ કરી શકાશે.તેમજ આકારણી સામે કોઇ વાંધા અરજ આપતા અગાઉ નગરપાલિકામાં ભરવાના થતા તમામ કરવેરા ભાડા ૨૦૨૪-૨૫ અંતિત ભરવાના રહેશે અને આકારણી પત્રકની તપાસ માટે અગાઉ ભરેલ ટેક્ષની પાવતી સાથે લાવવી જરૂરી છે.જો ઉપરોક્ત સમય મર્યાદામાં વાંધાઓ રજુ નહી થાય તો આકારણી સામે કોઇ વાંધો નથી એમ માની સમય મર્યાદા બાદ કોઇ વાંધો કે તકરાર સાંભળવામાં આવશે નહી તેની દરેકે નોંધ લેવી તેમ પાલનપુર નગરપાલિકા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


  • Follow us on: