- પાનની દૂકાનો, આયુર્વેદિક સ્ટોરમાંથી નશાકારક સીરપનું વેંચાણ
- ચાર દુકાનોમાંથી 7 લાખનો નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો
- શહેરમાં બેફામ વહેંચાઈ રહી છે નશાકારક સીરપની બોટલો
રાજ્યમાં ફરી એકવાર આયુર્વેદિક દવાના નામે નશાકારક સીરપનું વેંચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. અગાઉ પોરબંદર અને રાજકોટથી લઈ વિવિધ સ્થાનો પર આ પ્રકારની ઘટના સામે આવી હતી. જ્યારે હવે ભાવનગરમાં નશાકારક સીરપનું જાહેરમાં વેંચાણ થતું હોવાની માહિતી સામે આવતાં ભાવનગર SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, ભાવનગરમાં પાનની દુકાનોથી લઈ આયુર્વેદિક સ્ટોર સહિત ઘણાં સ્થાનો પર નશાકારક સીરપનું વેચાણ થઈ રહ્યું હતું. જેમાં ચાર દુકાનોમાંથી 7 લાખનો નશાકારક સીરપનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 4798 નશાકારક સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે.














