પાટણના રાધનપુરમાં મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી.થોડા દિવસ પહેલા જ રાધનપુર હાઈવે પર સ્થિત એક મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ ચોરાયા હતાં.આ ઘટનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે ચોરીની ફરિયાદના આધારે તપાસ કરી હતી. જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.


એલસીબીની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાઘનપુરમાં થોડા સમય પહેલા હાઈવે પર સ્થિત એક મોબાઈલની દુકાનમાંથી 10 લાખથી વધુની કિંમતના મોબાઈલો ચોરાયા હતાં. ચોરીની આ ઘટનાથી રાધનપુરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મોબાઈના વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને ચોરોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં પાટણ એલસીબીની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું

પાટણ એલસીબીએ પકડેલા રાહુલ નમોનાથ રામ દયાલ જેસવાલ અને મહંમદ નસીબ બસીર અમીન મુળ બિહારના વતની છે. આ બંને જણાને પકડીને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ ચોરી કરી છે તે સહિતની પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. બંને આરોપીઓને રાધનપુરની બજારમાં પણ લઈ જવાયા હતાં.

  • Follow us on: