અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ડુંગળી પકાવતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનું વારો આવ્યો છે ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને ચાલુ વર્ષે બેવડો માર પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, એક બાજુ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ત્યારે બીજી બાજુ ખેડૂતોને તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ગરીબીને કસ્તુરીએ રડાવ્યા છે.


ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી

સફેદ ડુંગળી અને લાલ ડુંગળી બે વકલમાં થાય છે ને હાલ ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીમાં ડુંગળીના ભાવો સાવ ગગડી જતાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને આ વખતે બેવડો માર પડ્યો છે, એક બાજુ કમોસમી વરસાદ પડવા ખેડૂતો નો તૈયાર ડુંગળીનો પાક પડામાં પલળી જતા પછતાવવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ત્યારે સફેદ ડુંગળીના માત્ર 50 થી 100 જેવા ૧ મણના ભાવો મળે છે તો લાલ ડુંગળીના 60 થી 180 ની અંદર ભાવો રહેતા ખાતર, બિયારણ, દવા અને મજૂરીના પૈસા પણ ઉભા થાય તેવી સ્થિતિ નથી અને ખેડૂતોએ આ વખતે કસ્તુરીનું વાવેતર વધુ કર્યું હોય ને હાલ ભાવો સાવ નીચા આવી જતા ખેડૂતો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

 ડુંગળીનો પાક તૈયાર કરવા માટે એક વીઘાના 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો લાગે છે

ખાંભા ગામના ખેડૂત પ્રફુલભાઈ ટાપણીયા જણાવ્યું હતું કે, ડુંગળીનો પાક તૈયાર કરવા માટે એક વીઘાના 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો લાગે છે પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જાય તો પોષણક્ષમ ભાવ મળતા નથી અને કરેલો ખર્ચો પણ ઊભો થતો નથી અને ખેડૂતોને ખોટનો વેપાર કસ્તુરીમાં થયો હોવાનો વસવસો વ્યક્ત કરતા ખેડૂતોએ કસ્તુરીની ખેતીમાં ખોટનો ધંધો કર્યો હોય ને મજૂરી ના પણ પૈસા માથે પડે તેવી આપવીતી વર્ણવી ને હવે જગતના તાત ગળેફાંસો ખાઈ તેવું બીના વર્ણવી હતી ને ત્યારે અન્ય ખેડૂતો પણ આજ દુઃખણા નું વર્ણન કર્યું હતું.

ખેડૂતોએ સર્વેની માગ કરી વળતર માંગ્યું

ખાંભા તાલુકાના ખેડૂતોને સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યાં છે ત્યારે ગયા વર્ષે 1 કિલો 2 રૂપીયાની સહાય સરકાર તરફથી આવી હતી ત્યારે આ વખતે જો 5 રૂપિયા જેવી સહાય ખેડૂતોને મળે તોજ ખેડૂતોનો ઉદ્ધાર થાય તેમ હોય ત્યારે સરકાર સંવેદન શીલ બનીને જગતના તાતની વ્હારે ક્યારે આવે તેના પર ખેડૂતો મિટ માંડી બેઠા છે.

 

  • Follow us on: