રાજકોટના મવડી વિસ્તારમાં સમી સાંજે એક 40 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. સંજયભાઈ નામના વેપારી આ જગ્યાએ ફ્લેટ બનાવતા હોવાથી પોતે આ મકાન પણ ખરીદી કર્યું હતું. મકાન જર્જરિત હોવાથી ખાલી હતું. પાયાનું કામ ચાલતું હતું ત્યારે નીચેથી પથ્થર સરકવા લાગતા આ મકાન ગમે તે ઘડીએ પડે તેવી સંભાવના વર્તાતી હોવાથી સવારે 5 કલાક પૂર્વે જ કામ બંધ કરાવી દીધું હતું અને મજૂરોને ઘરે જવા દીધા હતા.
કામ બંધ કરી દીધું હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી













