ગુજરાતમાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો સામે બુલડોઝર કામગીરી વધુ તીવ્ર બની ગઈ છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાસ અમદાવાદમાં ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરીને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલી છે. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામને તોડી પાડીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. તેવી જ કામગીરી રાજકોટના ધોરાજીમાં કરવામાં આવી હતી. રાજકોટના ધોરાજીમાં પાટણવાવ ગામમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
દબાણ દૂર કરવામાં આવ્યું













