- ખેડબ્રહ્માની શેઠ કે.ટી.સ્કુલની ધોરણ 6થી 8ની માન્યતા રદ
- બાળકોને અન્ય સ્કુલમાં એડમિશન લેવા જણાવાયું
- સ્કુલના કૌભાંડના કારણે આ સ્કુલની માન્યતા રદ કરવામાં આવી છે
સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરની શેઠ.કે.ટી.સ્કુલની ધોરણ 6થી 8ની માન્યતા રદ કરવામાં આવી છે. કૌભાંડને કારણે સ્કુલની માન્યતા રદ કરવામાં આવતા વાલીઓમાં ચિંતા વ્યાપી છે. આજે સ્કુલ દ્વારા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કુલ તરફથી વાલીઓને આ જાણકારી આપવામાં આવી હતી.
કૌભાંડના કારણે માન્યતા થઈ રદ













