• ખેડબ્રહ્માની શેઠ કે.ટી.સ્કુલની ધોરણ 6થી 8ની માન્યતા રદ

  • બાળકોને અન્ય સ્કુલમાં એડમિશન લેવા જણાવાયું
  • સ્કુલના કૌભાંડના કારણે આ સ્કુલની માન્યતા રદ કરવામાં આવી છે

સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરની શેઠ.કે.ટી.સ્કુલની ધોરણ 6થી 8ની માન્યતા રદ કરવામાં આવી છે. કૌભાંડને કારણે સ્કુલની માન્યતા રદ કરવામાં આવતા વાલીઓમાં ચિંતા વ્યાપી છે. આજે સ્કુલ દ્વારા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કુલ તરફથી વાલીઓને આ જાણકારી આપવામાં આવી હતી.

કૌભાંડના કારણે માન્યતા થઈ રદ

સ્કુલ તરફથી વાલીઓને જણાવવામાં આવ્યું કે સ્કુલની ધોરણ 6થી 8ની માન્યતા રદ કરવામાં આવી છે, જેના કારણે બાળકોના એડમિશન અન્ય સ્કુલમાં લઈ લેવા, ત્યારે વાલીઓ દ્વારા સ્કુલના ટ્રસ્ટીઓને પૂછવામાં આવ્યું કયા શા કારણથી સ્કુલની માન્યતા રદ કરવામાં આવી તો ટ્રસ્ટીઓ જવાબ આપતા કહ્યું કે સ્કુલના કૌભાંડના કારણે આ સ્કુલ બંધ કરવામાં આવી છે અને માન્યતા રદ કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ એક સાથે સ્કુલમાં આવવાના છે અને બાળકોની ફી અને ગણવેશ તથા પુસ્તકો સહિત અન્ય બીજી રજૂઆતો પણ ટ્રસ્ટીઓને કરશે.


  • Follow us on: