સાબરકાંઠામાં મદરેસાના મૌલવીઓ સામે અત્યાચાર ગુજારવાની ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બિહારના આઠ બાળકો સાથે અત્યાચાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે પ્રાંતિજની મદરેસામાંથી બાળકો ભાગી ગયા હતાં. ત્યારબાદ હિંમતનગર રેલવે સ્ટેશન પરથી આ બાળકો મળ્યા હતાં. બાળકોને મદરેસાને તાળુ મારીને ત્રીજા માળે ગોંધી રાખવામાં આવતા હતાં. બાળકોને રેસ્કયુ કરીને બાળ સુરક્ષાગૃહમાં મોકલાયા છે. આ ઘટનામાં પ્રાંતિજ પોલીસે ત્રણ મૌલવીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતાં.
કેબલથી માર મારવામાં આવતો













