• પાકિસ્તાને બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી
  • સ્ટાર બોલર શાહીન આફ્રિદીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો
  • શાહીનને બહાર કરી દેવાયા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ

પાકિસ્તાને બાંગ્લાદેશ સામે 30 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે સ્ટાર બોલર શાહીન આફ્રિદીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેને ઈજા પણ નથી. શાહીન પાકિસ્તાનનો ટોપ ફાસ્ટ બોલર છે અને તેણે ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. આવી સ્થિતિમાં શાહીનને બહાર કરી દેવાયા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે.

શું હતું શાન અને આફ્રિદી વચ્ચેની લડાઈનું કારણ?

શાહીનને 12 સભ્યોની ટીમમાંથી બહાર કર્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ પાકિસ્તાનની ટીમમાં ભાગલા પડી ગયા છે. રિપોર્ટ અનુસાર ડ્રેસિંગ રૂમમાં શાહીન આફ્રિદી અને કેપ્ટન શાન મસૂદ વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે રિઝવાને તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો તો તેને પણ માર મારવામાં આવ્યો.


ખભા પરથી હાથ હટાવ્યો

તમને જણાવી દઈએ કે પહેલા ટેસ્ટ દરમિયાન પણ શાન મસૂદ અને શાહીન આફ્રિદી વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. આફ્રિદીએ શાનનો હાથ પોતાના ખભા પરથી હટાવી લીધો હતો. શાહિને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 88 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે 29 રન પણ બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશે 10 વિકેટે શાનદાર જીત મેળવી હતી. બાંગ્લાદેશની મોટી જીત બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે.


કેટલીક વસ્તુઓ પર કામ કરી રહ્યા છીએ

પાકિસ્તાનના મુખ્ય કોચ જેસન ગિલેસ્પીએ તે કહેવાનો ઇનકાર કર્યો છે કે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે કે કેમ, પરંતુ તેણે એક નિવેદનથી હલચલ મચાવી દીધી છે. તેણે કહ્યું- "અમે સુધારા માટે કેટલીક બાબતો પર કામ કરી રહ્યા છીએ." પાકિસ્તાનની 12 સભ્યોની ટીમમાં બે સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં લેગ સ્પિનર અબરાર અહેમદ અને ઝડપી બોલર મીર હમઝાનો સમાવેશ થાય છે.


ખભા પરથી હાથ હટાવ્યો

શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), અબરાર અહેમદ, મોહમ્મદ અલી, સલમાન અલી આગા, સૈમ અયુબ, બાબર આઝમ, મીર હમઝા, મોહમ્મદ રિઝવાન, અબ્દુલ્લા શફીક, નસીમ શાહ અને ખુર્રમ શાહઝાદ.

  • Follow us on: