• સુરતમાં નાની બાબતમાં યુવાનની હત્યા

  • નાસ્તાની લારી ચલાવતા પરિવાર પર હુમલો
  • 1નું મોત અને 3 અન્ય લોકો સારવાર હેઠળ

સુરતમાં ચોરીનો મોબાઈલ નહિ ખરીદતા અસામાજિક તત્વોએ 20 વર્ષીય યુવકની હત્યા કરી છે. ગત 15 તારીખે લુખ્ખા તત્વોએ શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ચપ્પુના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના આખરે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

સુરત શહેર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં નાસ્તાની લારી ચાલવતા પરિવારના ચાર સભ્યો પર અસામાજીક તત્વોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો છે. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ શિવાજી પાર્કમાં સમોસામાં નાસ્તાની લારી પર એક જ પરિવારના ચાર લોકો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. ચારને નવી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ચાર પૈકી એક યુવકની હાલત ગંભીર હતી. જ્યારે ટૂંકી સારવાર બાદ આખરે રાજ પ્રજાપતિ નામના યુવકનું મોત નીપજ્યા પરિવાર પર આભ ફાટયું છે.

હત્યા કરનાર તત્વો ચોરીના મોબાઈલ વેચવા આવ્યા હતા. અસામાજિક તત્વો સમોસાની લારી વાળાઓને વેચાતા લેવાની ના પાડી હતી. તે બાબતે ઝઘડો કરીને અસામાજિક તત્વો ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો. હાલ તો પોલીસ હત્યા કરનાર અસામાજિક તત્વો સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત એ છે અસમાજિક તત્વોને જાણે પોલીસનો જરાક પણ ડર ના રહ્યો હોય તે રીતે પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ નિષ્ક્રિય કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.

આમ સુરતમાં પોલીસ તંત્ર આવા લુખ્ખા તત્વોને નિયંત્રણમાં લઈને તેમને કાયદાનો પાઠ ભણાવે તેમજ તેમની વિરુદ્ધમાં કડકમાં કડક સજા કરાવે તેવી લોકલાગણી છે. હાલના દિવસોમાં જે રીતે સુરત ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓનું એપિસેન્ટર બની રહ્યું છે તે ખરેખર સભ્ય સમાજ માટે એક ચિંતાની બાબત છે. 

  • Follow us on: