સુરતના અમરોલીમાં એક યુવકની હત્યાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અમરોલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. 3 આરોપીઓએ પત્નીનો મોબાઈલ નંબર માંગી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 3 આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે મામલે અમરોલી પોલીસે આરોપી મુક્તસીદ, સાહિલ અને ફારૂક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ 3 આરોપીઓએ અન્ય એકને પણ ચપ્પાના ઘા ઝીંક્યા હતા.યુવકની હત્યા બાદ 3 આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
સુરતમાં યુવકની હત્યા













