સુરતના બોરાસરાની કંપનીમાં 2 કામદારના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. અને યોગ્ય વળતર માટે માગ કરી હતી. જ્યારે મૃતદેહ અંકલેશ્વરથી સુરત લઇ જવાઇ રહ્યો હતો. ત્યારે તે સમયે આ વિવાદ સર્જાયો હતો. સમગ્ર ઘટના મામલે જ્યારે પોલીસને જાણ કરાઇ હતી. ત્યારે તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને તપાસ શરુ કરી હતી. હોબાળાને શાંત કરવા માટે પોલીસે મધ્યસ્થતા કરી હતી. પોલીસે આગેવાનો અને પરિવારજનોને અટકાવ્યા હતા. અને સમજાવટ બાદ પોલીસ આગેવાનોને લઈ કંપની તરફ જવા રવાના થઇ હતી.
કંપનીમાં 2 કામદારના મોતથી રોષ













