સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે.


માનસિક તણાવ મોતનું કારણ?

મોડલ બનાવ માટે ઘણા યુવક-યુવતીઓ સપના જુએ છે. પરંતુ અમુક જ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે. ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવું અને ત્યાં ટકી રહેવું સરળ નથી. આ ગ્લેમરની દુનિયામાં ઘણા કાળા કામ પણ થતા હોય છે. ત્યારે સુરતની 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાનો મોતો ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. 23 વર્ષીય યુવતીએ પોતાના મોત માટે માનસિક તણાવનું કારણ જવાબદાર ઠેરવ્યુ છે. ત્યારે તેના મોત માટે માનસિક તણાવ જ કારણભૂત છે. કે પછી અન્ય કોઇ દિશામાં સંકેત કરવામાં આવી રહ્યો છે. આ યુવતીએ પંખે દુપટ્ટે લટકાવી ફાંસો ખાધો છે. ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે.

આપઘાત નથી કોઇ નિવારણ

સુરત કે અન્ય કોઇ પણ શહેર કે ગામમાં આપઘાતના કેસમાં કેટલો વધારો થયો છે. તે જાણવું જરુરી છે. અંજિલના ફોનના સ્ટેટસમાં બ્રેકઅપ કહાની સામે આવી રહી હોય તેમ લાગી રહ્યુ છે. કારણે તેણે એક આડકતરી રીતે કોઇને ટાંકીને બ્રેકઅપ લાઇન પોસ્ટ કરી છે. ત્યારે આ મામલે પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. 

  • Follow us on: