સુરતના કોસંબામાં ગેસ ગળતરથી બે લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. કોસંબામાં ધામરોડ સ્થિત મંગલમૂર્તિ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. કંપનીમાં રિએક્ટરના મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બંને કામદારોને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતાં.


રાજન શર્મા, રાજન સિંઘનું ગેસ ગળતરથી મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કોસંબામાં ધામરોડ પર સ્થિત મંગલમૂર્તિ કંપનીમાં રેએક્ટરના મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન ગેસ ગળતર થયું હતું. આ દરમિયાન ત્યાં કામ કરતા રાજન શર્મા અને રાજન સિંઘને અસર થઈ હતી. બંને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ બંને કામદારોનું મોત નિપજ્યું હતું.

વધુ સારવાર મળે તે પહેલાં જ બે કામદારના મોત

કંપનીમાં કામ કરતા રાજન શર્મા અને રાજન સિંઘ નામના બે કામદારોનું મોત થતાં તેમના પરિવારો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. જ્યાં બંનેના પરિવારોમાં આક્રંદ જોવા મળ્યો હતો. બંને કામદારોના મોત બાદ કંપનીના અન્ય કર્મચારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતાં. સમગ્ર ઘટનામાં હોસ્પિટલમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.


  • Follow us on: