સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનતા અનેક સવાલો ઉભા થયાં છે. છેલ્લા 15 દિવસમાં સુરત જિલ્લામાં હત્યાની ત્રીજી ઘટના સામે આવી છે. કામરેજના ઉંભેળ ગામમાં શેરડીના ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ ઓલપાડમાં દેલાડ ચોકડી નજીક નહેરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બંને અજાણી મહિલાઓની ઓળખ માટે પોલીસ દોડતી થઈ ગઈ છે.


બે અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં બે અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કામરેજ વિસ્તારના ઉંભેર ગામમાં શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કામરેજ પોલીસે આ મહિલા કોણ છે તેની તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દેલાડ ચોકડી નજીક એક નહેરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

બીજી તરફ સુરતના ઓલપાડમાં દેલાડ ચોકડી નજીક એક નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અજાણી મહિલાની હત્યા થઈ કે તેણે આપઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલાના મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. બંને અજાણી મહિલાઓની ઓળખ માટે પોલીસે વિવિધ દિશાઓમા તપાસ હાથ ધરી છે.


  • Follow us on: