સુરતની સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં તબીબોની બેદરકારી સામે આવી છે. જીવિત બાળકને મૃત જાહેર કરીને પરિવારને સોંપાયો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો હતો અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનોએ બેદરકારી દાખવનાર તબીબો સામે કાર્યવાહીની માગ કરી છે.


અંતિમ સંસ્કાર વખતે બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની સિવિલ હોસ્પિટલમાં એક બિમાર બાળકને સારવાર માટે લઈ જવાયો હતો. જયાં ફરજ પરના તબીબોએ આ બાળકને મૃત જાહેર કરીને પરિવારને સોંપ્યો હતો. પરિવાર બાળકને લઈને ઘરે ગયો અને તેની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરી હતી. અંતિમ સંસ્કાર વખતે બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો હતો. જેથી તેને ફરીવાર સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો

સુરતની સિવિલ હોસ્પિટલના વિવાદો અનેક વખત સામે આવ્યાં છે. આ વખતે સિવિલ હોસ્પિટલના તબીબોએ ગંભીર બેદરકારી દાખવી છે. એક બાળકને મૃત જાહેર કરી દેતા તેના પરિવારજનોએ અંતિમ ક્રિયા આરંભી દીધી હતી. જ્યાં બાળક ફરીવાર શ્વાસ લેવા લાગ્યો હતો. તેની તેને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.


  • Follow us on: