સુરતમાં ખાવડા અને વટામણથી નવસારી સુધી પાવર ગ્રીડ વીજલાઈનો નાંખવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર સમક્ષ વીજ કંપનીઓ વધુ વળતર આપે તેવી ખેડૂતોએ માગ કરી હતી. ખેડૂતોની રજૂઆત સાંભળીને કલેક્ટર દ્વારા યોગ્ય વળતર મળશે તેવી હૈયાધારણા અપાઈ હતી.
યોગ્ય વળતર મળશે તેવી હૈયાધારણા













