સુરતના માંગરોળમાં એક ભીષણ આગની ઘટના સામે આવી હતી. આગની ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સુરતના માંગરોળના મોટાબોરસરા જીઆઈડીસીમાં આવેલ વેસ્ટેજના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. ભયાનક આગને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.


ગોડાઉનમાં આગની ઘટના

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના માંગરોળમાં આવેલા બેલેશ્વવર ટ્રેડર્સના વેસ્ટેજના ગોડાઉનમાં ભયાનક આગ લાગી હતી. જેના લીધે નાસભાગ મચી ગઈ હતી. આગ ફાટતા તેના ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. જીઆઈડીસીમાં ગોડાઉનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, બંધ ગોડાઉન હોવાને લીધે આગને બુઝાવવા માટે દીવાલને તોડી પડાઈ હતી. આગની ઘટનાની જાણ લોકોએ સુમિલોન ફાયર વિભાગને જાણ કરી હતી.

 આગને બુઝાવવાનો પ્રયાસ 

ગોડાઉનમાં આગની જાણ થતા ફાયર વિભાગની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં ફાયર ફાઈટરોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. તેમજ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગના લીધે લોકો પણ આગને બુઝાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. જોકે, આગ કેવી રીતે લાગી, કોણે લગાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે, બંધ ગોડાઉનમાં આગની ઘટનાને લઈને વેસ્ટેજ સળગી ગયું હતું. જેના લીધે આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. જેને ઓલવવાના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.

  • Follow us on: