સુરતના મહુવામાં મધમાખીના હુમલામાં એક આધેડનું મોત નિપજ્યું છે. અનાવલ ગામમાં રેલવે ફાટક નજીક મધમાખીઓના ઝૂંડે આધેડ પર હુમલો કર્યો હતો. ઈલિયાસ વસીયાત નામના આધેડ પર મધમાખીઓએ હુમલો કરતાં તેઓ રોડ પર પડ્યા હતાં. આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


ઈલિયાસ વસીયાત નામના આધેડનું મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના મહુવા તાલુકાના અનાવલમાં મધમાખીના હુમલામાં ઈલિયાસ વસીયાત નામના આધેડનું મોત નિપજ્યું હતું. અનાવલ રેલવે ફાટક નજીક અચાનક મધમાખીઓએ આધેડ પર હુમલો કરતા આધેડ રોડ પર પડી ગયા હતાં. અસંખ્ય મધમાખીઓના હુમલાથી આધેડને ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ તેમને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

હુમલો એટલો ખતરનાક હતો કે આધેડ રોડ પર પટકાઈ ગયા

મધમાખીના હુમલામાં મોતને ભેટેલા આધેડના મૃતદેહનો પોલીસે કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. આ આધેડ વાંચદા તાલુકાના રૂપવેલના રહિશ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. મધમાંખીઓના ખતરનાક હુમલાથી આધેડનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હુમલો એટલો ખતરનાક હતો કે આધેડ રોડ પર પટકાઈ ગયા હતાં.


  • Follow us on: