સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. એજન્સીના માલિકનું રિક્ષા ચાલકે અપહરણ કરીને ત્રણ કરોડની ખંડણી માંગી હતી. ખંડણી નહીં મળતા એજન્સીના માલિકની હત્યા કરી દેવામાં આવી છે. આરોપીએ લાશને બે ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ આરોપી ફરાર થઈ જતાં પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયાં છે.
આરોપી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો













