- 26 વર્ષીય મહેશ ઉર્ફે ભરત વાળાનું મોત
- ગઈકાલે લાજપોર જેલમાં લથડી હતી તબિયત
- તબિયત લથડતા નવી સિવિલમાં ખસેડાયો હતો
સુરત લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ મોત થયુ છે. જેમાં 26 વર્ષીય મહેશ ઉર્ફે ભરત વાળાનું મોત થયુ છે. ગઈકાલે લાજપોર જેલમાં તબિયત લથડી હતી. તેમાં તબિયત લથડતા નવી સિવિલમાં ખસેડાયો હતો. 31 જુલાઈએ ચોરીના ગુનામાં ધરપકડ થઇ હતી. તેમાં પરિવારે ભરૂચ પોલીસ પર આક્ષેપ કર્યા છે. તેમજ પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરી છે.
સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી
સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ રીતે મોત થતા મામલો સામે આવ્યો છે. જેમાં કેદીનો પરિવાર અમરોલી વિસ્તારમાં રહે છે. તેમાં 26 વર્ષીય મહેશ ઉર્ફે ભરત વાળાનું મોત થયુ છે. જેમાં ગતરોજ લાજપોર જેલમાં તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ ગત 31 જુલાઈએ ઉત્રાણ પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. આરોપી મહેશ વાળાની ધરપકડ કરી હતી. આરોપીને અલગ અલગ પોલીસ સ્ટેશન માં ગુનાના કામે લઈ ગયા હતા. આરોપી મહેશને લઇ ગયા હોવાની પરિવારે હકીકત જણાવી છે.
સચિન પોલીસે મહેશના મોત મામલે પરિવારને જાણ કરી
ગત રોજ અચાનક મહેશની મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. સચિન પોલીસે મહેશના મોત મામલે પરિવારને જાણ કરી હતી. મહેશના મોતને લઇ પરિવારને શંકા છે. તેમાં પરિવારે ભરૂચ પોલીસ પર આક્ષેપ કર્યા છે. મહેશ પર ચોરીના ગુના નોંધાયેલા છે. ગત 31 જુલાઈથી પોલીસ તપાસ માટે લઇ ગયા હતા. જેમાં મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે તથા પરિવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માગ કરી છે. મૃતક આરોપીને બે નાના બાળકો છે. જેમાં બે બાળકો પિતા વગરના થયા છે. જેમાં સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.