• શિક્ષણ અધિકારીએ તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો
  • સ્કૂલનો કોઈ સ્પષ્ટ ઈરાદો ન હોય તેવું જણાય છે: DEO
  • ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃતિ નહી કરાવવા શાળાને તાકીદ

અમદાવાદની ક્લોરેક્સ શાળામાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ વાલીઓ તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના પર શાળાનાં પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ પ્રતિક્રિયા આપી હતી કે, અમારી શાળા દરેક તહેવારની નિયમિત રીતે ઉજવણી કરીએ છીએ. તેમજ અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો કે કોઈ ધર્મને પ્રમોટ કરવાનો ઈરાદો નથી.

સમગ્ર મામલે જીલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીઓ જણાવ્યું હતું કે, કેલોરેક્સ શાળા ઘાટલોડિયામાં આવેલી છે. તા. 27.9.2023 નાં રોજ ઈદે મિલાદનાં તહેવાર નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની એક બાબત ધ્યાન ઉપર આવી જેનો વીડિયો ગઈકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેવી ઘટનાં ધ્યાન ઉપર આવી તેવી તરત જ અમે શાળાને નોટીસ ફટકારી હતી. અને તેનો ખુલાસો માંગ્યો હતો. જે ખુલાસો શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે આજે અમારી ટીમ શાળા કક્ષાએ ગઈ હતી. અને ખાસ હકીકત લક્ષી અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

જે અહેવાલ રજૂ થયો છે તેમાં એક બાબત ચોક્કસ છે કે એક બાળક જે છે તે મુસ્લિમ સમાજનું છે જે નમાઝ પઢી રહ્યો છે. તેની સાથે બીજા જે બાળકો હતો તેઓ હિન્દુ હોવા છતાં તેઓને આ પ્રવૃતિમાં ભાગ લેવડાવ્યો હતો. શાળા આ બાબતે એવું કહે છે કે સર્વ ધર્મ સમભાવનાં ભાગરૂપે અમે આ પ્રવૃતિ કરાવવામાં આવી હતી. ત્યારે સર્વધર્મ સમભાવની ભાવનાથી કાર્યક્રમનાં ભાગરૂપે જો કાર્યક્રમ થાય તો વાલીઓની સંમતિ જરૂરી છે. ક્યાંય પણ ધાર્મિક લાગણી ન દુભાય તે પણ જોવું જોઈએ. તે પ્રકારે જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તપાસનાં અહેવાલમાં આમ સ્પષ્ટ જણાતુ નથી

તેમજ આવા કાર્યક્રમોથી ધાર્મિક લાગણી દુભાઈ શકે તેવા કાર્યક્રમોથી શાળાએ દૂર રહેવું તેવી તાકીદ આપીશું. આ અહેવાલને અમે આગળ મોકલાવીશું તેમજ વડી કચેરી તરફથી અમને જે કોઈ આદેશ મળશે. તેનું પાલન કરીશું. અને શાળાને સખ્ત શબ્દોમાં કોઈની લાગણી દુભાય તેવા કાર્યક્રમો ન કરવાની તાકીદ કરીશું.


  • Follow us on: