વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડ ખોદી નાંખતા વાહન ચાલકો પરેશાન થયાં છે. બીજી તરફ ખોદેલા રોડથી નીકળેલી માટીની ડમરીઓ ઉડતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી રોડનું કામ પુરૂ નહીં થતાં લોકોમાં રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે, અસહ્ય ઉડતી ધૂળથી સ્વાસ્થ્યને પણ અસર થાય છે.
ધૂળની ડમરીઓ ઉડતાં આગળથી આવતા વાહનો દેખાતા નથી













