મહારાષ્ટ્રના થાણેમાં મોટી દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. સોમવારે પુષ્પક ટ્રેનમાંથી 10-12 યાત્રીઓ રેલવે ટ્રેક પર પડી ગયા. જેમાંથી 8 ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનું કારણ ટ્રેનમાં ભયંકર ભીડ હોવાનું સામે આવ્યું છે. રેલવે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. ઇજાગ્રસ્તોને ઇલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
પોલીસ પહોંચી ઘટના સ્થળે













