- ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે
- અરજીની ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે
- અરજીની પ્રક્રિયા 8 જુલાઈથી શરૂ થશે
ભારતીય વાયુ સેનાના અગ્નિવીર વાયુ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારોઓ ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને 8 જુલાઈએ તેના માટે અરજી કરી શકે છે. એપ્લાય કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ છે. અગ્નિવીર વાયુ માટે મહિલા અને પુરુષ બંને ઉમેદવારો એપ્લાય કરી શકે છે. પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.ઉમેદવારો આ વાતનું ધ્યાન રાખે કે તેમને આ પદ માટે ઓનલાઈન મોડમાં જ અરજી કરવાની રહેશે. અન્ય માધ્યમો દ્વારા જમા કરવામાં આવેલી અરજી માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે, અગ્નિવીર વાયુ પદ માટે યોગ્યતા શું છે અને કેટલી ઉંમર સીમા નિર્ધારિત કરવામાં આવી છે.
કોણ કરી શકે છે એપ્લાય?
અગ્નિવીર વાયુ પદ માટે એપ્લાય કરનાર ઉમેદવારે ગણિત, ભૌતિકશાસ્ત્ર સાથે ઈન્ટરમીડિએટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, જેમાં ઓછામાં ઓછા 50% માર્ક સાથે અને અંગ્રેજીમાં 50% માર્ક સાથે પાસ કરેલ હોવો જોઈએ. જ્યારે એન્જિનિયરિંગ (મિકેનિકલ, ઈલેક્ટ્રીક્લ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાઈન્સ, ઈંસ્ટ્રુમેંટેશન ટેક્નોલોજી, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી)માં ત્રણ વર્ષીય ડિપ્લોમા કરનાર પણ એપ્લાય કરી શકે છે. ડિપ્લોમા 50% માર્ક અને અંગ્રેજીમાં 50% માર્ક સાથે પાસ થનાર હોવો જોઈએ. વધુ જાણકારી માટે ઉમેદવાર જાહેર કરાયેલ ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.
કેટલી હોવી જોઈએ ઉમેદવારની ઉંમર?
આવેદન કરનાર ઉમેદવારનો જન્મ 3 જુલાઈ 2004 અને 3 જાન્યુઆરી 2008ની વચ્ચે થયો હોવો જોઈએ. જો કોઈ ઉમેદવાર પસંદગી પ્રક્રિયાના તમામ ચરણો પાસ કરી લે છે, તો નોંધણીની તારીખ સુધી તેની વધુમાં વધુ ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
અગ્નિવીર વાયુ માટે કેવી રીતે એપ્લાય કરવું?
- ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જાઓ.
- ત્યાં અગ્નિવીર વાયુ નોટિફિકેશન પર ક્લિક કરો.
- હવે નોટિફિકેશન મુજબ એપ્લાય કરો.
કેવી રીતે થશે પસંદગી પ્રક્રિયા?
અગ્નિવીર વાયુ પદ માટે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા દ્વારા થશે. પરીક્ષાનું આયોજન 18 ઓક્ટોબરે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારને આગળની પસંદગી પ્રક્રિયા માટે બોલવવામાં આવશે. ભારતીય વાયુ સેના પરીક્ષામાં બેસવા માટે તમામ રજિસ્ટર્ડ કેન્ડિડેટને એડમિટ કાર્ડ આપવામાં આવશે.