- 25મી જૂને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ હતો
- અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે શપથ લીધા હતા
- ઓવૈસીએ શપથ પહેલા બિસ્મિલ્લાહ કહ્યું અને ઉર્દૂમાં શપથ લીધા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી મુશ્કેલીમાં છે. સાંસદ તરીકે શપથ લીધા બાદ 'જય પેલેસ્ટાઈન' બોલવાને લઈને હોબાળો થયો છે. ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે.
ઓવૈસી હૈદરાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગઈકાલે એટલે કે 25મી જૂને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ હતો. જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ પણ સાંસદ તરીકે શપથ લીધા હતા, પરંતુ આ દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો.
જય પેલેસ્ટાઈન પર અરાજકતા
ઓવૈસીએ શપથ પહેલા બિસ્મિલ્લાહ કહ્યું અને ઉર્દૂમાં શપથ લીધા, પરંતુ શપથ બાદ તેમણે 'જય ભીમ, જય મિમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈન'ના નારા લગાવ્યા. ઓવૈસેના સૂત્રોચ્ચાર બાદ ઘણા સાંસદોએ હંગામો મચાવ્યો હતો.
ઓવૈસીને ગેરલાયક ઠેરવવાની માંગ
આ દરમિયાન ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને એક પોસ્ટમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ સમક્ષ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ બંધારણની કલમ 102 અને 103ના સંદર્ભમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સંસદની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે.
ઓવૈસીનું 'જય પેલેસ્ટાઈન'ન નારા ખોટુંઃ ભાજપ
'જય પેલેસ્ટાઈન'ના નારા પર ભાજપ નારાજ છે. ભાજપના નેતાઓએ આની નિંદા કરી છે. કિશન રેડ્ડીએ કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં આપેલો 'જય પેલેસ્ટાઈન'નો નારા ખોટો છે. આ ગૃહના નિયમોની વિરુદ્ધ છે. તેઓ ભારતમાં હોવા છતાં 'ભારત માતા કી જય' બોલતા નથી.