ગુજરાત સરકારની ભલામણ પર મુક્ત કરાયેલા દોષિતોને સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ પાછા જેલમાં મોકલી દીધા હતા. બિલ્કીસ બાનોના ગુનેગારોના કેસમાં ગુજરાત સરકારને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે. ગુજરાત સરકારે બિલ્કીસના નિર્ણય પર રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.
ગુજરાત સરકાર વિરુદ્ધ કઠોર ટિપ્પણીઓ દૂર કરવાની માગ કરવામાં આવી હતી. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને પાછા જેલમાં મોકલી દીધા હતા. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના પ્રીમેચ્યોર રીલીઝ ઓર્ડરને રદ કર્યો હતો. આ ઉપરાંત આદેશમાં ગુજરાત સરકાર સામે પણ આકરી ટીપ્પણીઓ કરવામાં આવી હતી.













