હિમાચલના મંડીમાં મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. સરકાઘાટના તરાંગલા વિસ્કારમાં hrtc બસ અનિયંત્રિત થઇને રસ્તા પરથી નીચે ખેતરોમાં જઇને પડી. જેમાં 5 લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 


કેવી રીતે બન્યો બનાવ ? 

મળતી માહિતી મુજબ આ ઘટના સવારે 10 કલાકે બની. બસમાં 20થી 25 લોકો હતા. બસ જેવી તરાંગલા પાસે મસેરન વિસ્તારમાં પહોંચી ત્યાં જ રસ્તા પર ઢોળાવને કારણે લપસી ગઇ અને પલટી ખાઇને નીચે ખેતરોમાં જઇને પડી.ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોને ખબર પડતા જ તેઓ રાહત બચાવ કાર્યમાં જોડાઇ ગયા હતા.


2 પુરુષ અને 3 મહિલા

સરકાઘાટના ડીએસપી સંજીવ ગૌતમ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા. 108 દ્વારા ઇજાગ્રસ્તોને સરકાઘાટ હોસ્પિટલ લઇ જવાયા છે. ઇજાગ્રસ્તોમાં 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ડીએસપીએ જણાવ્યું કે આ ઘટનામાં 5 લોકોના મોત થયા. જેમાં 2 પુરુષ અને 3 મહિલાઓ છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.






આ બ્રેકીંગ ન્યૂઝ જસ્ટ હમણા આવ્યા છે અને સંદેશ ડિજિટલની ટીમ આપના સુધી તરત આના રિલેટેડ માહિતી, વીડિયો કે ફોટો પહોંચાડતુ રહેશે. આ પેજને રિફ્રેશ કરશો, માહિતી અપડેટ થઈ રહી છે.

  • Follow us on: